facebook

શિક્ષા પત્રી

    ૐ શ્રી સદગોર ની  શિખામણ 
સદગોર તણી શિખામણ સાચી,
સાંભળો એકાંતિ .  ૧
દિન પર્તે કરો ધામસું ધંધા,
સાંજ પડે થાઓ સાહેબકા બંદા. ૨
કોઈ કેની ન કરશો નિંદા ,
જઈ ગતમાંને કહો હેજંદા.  ૩
ગોર મુખે તમે રહો રે બંદા,
ä(Pvr કેરી યેહી સંદયા.  ૪
એમ વંદો સંદયા ä(Pvr ભાઈ,
મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ. ૫
મન મારો તો મમતા મુઈ,
ધર્મશાળામાં ન રહેશો સુઇ. ૬
ધર્મશાળામાં પર વાત ન કરશો,
આહાર ઘણું કરી પેટ ન ભરશો.  ૭
ભરશો પેટ તો ભારી થાશો,
આવશે નિંદ્રા પછી પસ્તાશો. ૮
હળવે પેટે હાંસલ થાશે,
જાગતાં જીતશો સદગોર સાથે. ૯
વડા મોટાની અદબે રહેજો,
મોટા તણા બે અવગુણ સેહજો. ૧૦
દહાડો વડો તેને વરસ કરી જાણો,
બોલો મીઠા વચને પ્રેમ જ આણો. ૧૧
આપણેથી જે નાનેરો ભાઈ,
તેને બોલાવો મોટેરો કહી.  ૧૨
મીઠે વચને બોલો વીરા,
તમ મુખે તો ઝલકે હીરા.  ૧૩
સદગોર મ૯યાનો એ છે ભેદ,
ä(Pvr ä(Pvrનો ન કરશો ખેદ૧૪
સાંભળે રૂડું ને આચરે કુડું,
નિશ્ચે તેનું થાશે જ ભુંડું.  ૧૫
આળસ નિંદ્રા ન કરવી જાણી,
જૂઠ તજો વેદ વચન પ્રમાણી. ૧૬
કૂડ કપટ સર્વે નાખો કાઢી,
અમીરસ પી નિશાની લો દાડી. ૧૭
ઘર થકી ધર્મશાળામાં આવો,
ઊપજાવી ભાવ  નિશાની  લાવો. ૧૮
સંપત ઊપજે તે તમે લાવો,
મુખી સાથે નવ કરશો દાવો. ૧૯
દાવો કરે દુનિયાને ભાવે,
આવે દારિદ્ર ને દેવ નિહ પાવે. ૨૦
અધર્મી ને ઊણયાચારી,
જાણયું અજાણયું તે દે પચારી ૨૧
સુતક લાઈ ભર્યા જો રહેશો,
હાણ ઉપજશે બહુ દુ:ખ સેહશો. ૨૨
અમી નિશાની નિહ લો દાડી,
તો ગોરજી મેલશે ગતમાંથી કાઢી ૨૩
ધર્મી ધીંગાણાની વાત ન જાણે,
અધર્મી મનમાં ઓછું આણે. ૨૪

જ્ઞાન દયાનમાં જુઓ વિચારી,
હાણ વર્ધને જુઓ તપાસી.  ૨૫
દયાન ધરી તમે ઝાલો સ્મરણી,
છાના છૂપા કરો ઉતમ કરણી. ૨૬
એવા ગુણ ગંભીરે ભિરયા,
ä(Pvr પાળો સોએ ક્રિયા. ૨૭
પ્રથમ હ્યદય ધોઈ  નિર્મળ કરવું,
બીજી ક્રિયા નિત નાહીને જમવું ૨૮
સત્યે ચાલવું રાતને દિવસ,
તેમાં સાચું બોલવું  નિશ્વે.  ૨૯
દયા રાખવી દિલમાં જાણી,
સુપાત્રને દાન દેવું પ્રાણી.  ૩૦
પર દુ:ખ જાણી પાસે રહેવું ભાઈ,
મોટાને તો માનવા સહી.  ૩૧
મોટાઈનો મન ગર્વ ન કરવો
દશમી  ક્રિયા જે ક્રોધ ન કરવો ૩૨
ધર્મ તણું આળસ ન કરવું,
સરજયા સાથે દયાન જ ધરવું. ૩૩
નિત નિત  ગતમાં મલવું જાઈ,
ગોરનર મુખીને મલવું ધાઈ. ૩૪
નિત નિત અમી પીએ તે ધર્મી,
અહંકાર મૂકે તે નર કર્મી.  ૩૫
જૂઠું ä(Pvr ને બોલવું નિહ,
અતીત અભ્યાગત સંતોષવા સહી. ૩૬
ભૂખ્યાને અન્ન આપવું જાણી,
તરસ્યાને તો પાવું પાણી.  ૩૭
નાગાને વસ્ત્ર આપી અર્થ જ લેવો,
સગાં કુટુંબનો ભાર જ સેહવો. ૩૮
સઘળું સાંખી કરી દયાન જ ધરવું,
અવગુણ કરે તેનો ગુણ જ કરવો. ૩૯
ઓછું કોઈને આપવું નહીં,
અદકું કોઈનું લેવું નહીં.  ૪૦
પરસ્ત્રી ગમન તો કરવું નહીં,
ભૂંડી નજરે ન જોવું ભાઈ.  ૪૧
જાણી અજાણી ન દીજે ગવાહી,
કૂડ કપટે ન ચાલશો ભાઈ.  ૪૨
મુખથી મર ન કહેવું લગાર,
વ્યાજ ખાએ તેનો ન લેવો આહાર. ૪૩
હાડ વકરો કરે પાતક સહી,
પશુ પાળીને વેચવું નહીં.  ૪૪
ધરતીનું મૂલ ન કરશો માતા,
કન્યા તણો રખે દ્વવ્ય જ ખાતા. ૪૫
લાંચ ન ખાવી એક રતી,
ખોટું ખત નવ લખશો સતી. ૪૬
મેદાને જઈ પાંચ આચમન કીજે,
ચાલીસ ક્રિયા ä(Pvr પાળી લીજે. ૪૭
માટી લઈને ધોવા હાથ,
નાહી કરીને થાવું પાક.  ૪૮
પાણી લઈને પેશાબ જ કરવી,
આચમન ત્રણ કરે તે નર ધર્મી. ૪૯
અણગળ્યું નીર ન પીવું પ્રાણી,
જીવતો જીવ ન મારવો જાણી. ૫૦
હીંગ તમાકું ન ખાશો કોઈ,
અમલ આહાર તજો નર જોઈ ૫૧
દનીમાં બેસીને ખાવું નિહ,
એઠું જુઠું ન ખાશો ભાઈ.  ૫૨
ગળીનાં વસ્ત્ર પહેરવાં નિહ,
નીચની સંગત ન કરવી સહી. ૫૩
અપવાસ વ્રતની આશ ન ધરવી,
પાણી પથ્થરની પૂજા ન કરવી. ૫૪
મેલી થાપણ ન રાખવી જાણી,
વખત વેળા ન ચૂકશો પ્રાણી. ૫૫
અમર થૈયે તે જપીએ જાપ,
વણ પૂછે ખાધે છે પાપ.  ૫૬
પા, ઘડી જતી ન કરશો લગારી,
ચાંપી આહાર ન લેશો લગાર. ૫૭
લાલચે પ્રીત ન કરવી ભાઈ,
માતા કરી જાણો મોટી ભોજાઈ. ૫૮
અરુંપરું નવ કરશો ä(P,
પાડોશી દુભવી નવ કરશો દુ:ખી. ૫૯
વિશ્વાસઘાત ન કરવી સહી,
પડી જડી વસ્તુ ન લેવી ભાઈ. ૬૦
કોઈને આળ ન ચડાવવી જાણી,
ઉછી ઉધારનું ન રાખવું પ્રાણી. ૬૧
પારકું ધન લેઈ ભાગવું નિહ,
પુત્ર થઇને આપવું સહી.  ૬૨
કોઈને ગાળ ન દેવી જાણી,
મૂર્ખપણામાં ન રહેવું પ્રાણી.  ૬૩
જ્ઞાન દ્વષ્ટે જોવું સૌને સરખું,
શત્રુ કરે તે નવ કરવું.  ૬૪
સાચો જૂઠો ન કરવો વાદ,
જૂઓ જૂગટાનો ન કરવો સ્વાદ. ૬૫
નાચ છંદ ભવૈયા જોવા નહી,
એ છલભેદે સદગોર ખોવા સહી. ૬૬
જમતાં ખાટું ન કહેવું ભાઈ,
વખાણવું પણ વખોડવું નહી. ૬૭
પ્રભાતે નાહીને બહાર નીસરવું,
સંસાર કરે તે નવ જ કરવું. ૬૮
તપ તિરથને કરવું સ્નાન,
નિર્મળ થઇને ધરવું દયાન. ૬૯
આપણા પ્રાણીને દુ:ખ નવ દીજે,
દર દીવાને પ્રીત નવ કીજે.  ૭૦
હાલતાં ચાલતાં ખાવું ન ખાશો,
ષટ દર્શન પુજી પસ્તાશો.  ૭૧
વેદ શાસ્ત્ર કહે તેમ કરવું સહી,
ચતુરાઈ ચોખાઈમાં રહેવું ભાઈ. ૭૨
ઝેર ખાઈ જંપલાઈ ન મરવું,
આવાગમનમાં ફરી અવતરવું. ૭૩
જોર જુવાની વશ જો કરવી,
પરસ્ત્રી સાથે સંગ ન કરવી. ૭૪
આગને એઠું પાણી ન છાટવું જાણી,
લીલું ઝાડ ન ભાંગવું પ્રાણી. ૭૫
પ્રભાતે ફૂલ ચૂંટવાના છે બહુ દોષ,
પાણી પથ્થર પૂજે નિહ પામો મોક્ષ. ૭૬
અવાચક પ્રાણીની આલ ન કરવી,
ભોજન છાંડી બેસ ઊઠ ન કરવી.  ૭૭
એઠું પશુને ન આપવું પ્રાણી,
એબ કોઈની ન ઉઘાડવી જાણી. ૭૮
ભાંજગડ કોઈની કરવી નહી,
ગોરનાં વચન ન લોપવાં સહી. ૭૯
શિખામણ પૂછે તેને સારી દીજે,
લઇ તસ્બી હરી નું સ્મરણ કીજે. ૮૦
પીઓ અમીરસ બ્રહ્માજી મિલયા,
ä(Pvr પાળો સોએ ક્રિયા. ૮૧
નવા ધર્મીને ધર્મ અપાવો જોઈ,
સો ક્રિયા ની પહેરાવો જનોઈ ૮૨
થયા બ્રાહ્મણ બ્રહ્માજી મલીયા,
આવાગમનના ફેરા ટિલયા. ૮૩
ä(Pvr સાંભળો બ્રહ્મજ્ઞાન,
ગતમાં જઈ કરો ગંગસ્નાન. ૮૪
બ્રહ્મજ્ઞાન ગોરનરને ભાવે,
અણસઠ તિરથ ગુરૂચરણે આવે. ૮૫
પ્રત્યક્ષ ગોરનર ગતમાં બેઠા,
ભાગ્ય જેના સદગોર જ્ઞાને દીઠા. ૮૬
જ્ઞાન દયાનમાં જુઓ વિચારી,
દુનિયામાહે દેવ ગુપત અવતારી. ૮૭
ä(Pvr તેજે રાખે જ્ઞાન,
નિર્મળ થઇને ધરવું દયાન. ૮૮
મુનિવર તેજે વારે મન,
કરે કસોટી કાયા રતન.  ૮૯
ભણે ઈમામશાહ સુણો ગત સોહી,
ગતમાં બેસીને ઈમાન રાખો સબ કોઈ. ૯૦
જે સદગોર આધ તપસી કહેલાએ,
સો ઈમામ જાંબુદ્વીપમાં આયે. ૯૧
ગોરનર જાંબુદ્વીપે આવ્યા સહી,
મુનિવર આરાધો એકમના થઈ ૯૨
ગોરનરે જાંબુદ્વીપે પૂર્યો વાસ,
તમે રાખો અમરાપુરની આશ. ૯૩
વાંચા પાળો આચરો બ્રહ્મજ્ઞાન,
રહો ä(Pvr એકે દયાન.  ૯૪
જે રૂપે ગોરનર હોએ સહી,
તે રૂપે જાપ જપાવો મુનિવર ભાઈ . ૯૫
નીચા નમી નમી કરો પ્રણામ,
ગોરનરે જાંબુદ્વીપે કર્યો મુકામ. ૯૬
જો પૂરા પ્રેમસું ધર્મે ધાઓ,
તો ä(Pvr અમરાપુરમાં જાઓ. ૯૭
અમ્મરભેદે અમરાપુરી લેશો,
ä(Pvr અમ્મરગઢમાં રહેશો. ૯૮
અમ્મર ફળનાં ભોજન કરશો,
અન્નત કલફની આવરદા ભાગવશો. ૯૯
ä(Pvr એક મને ગોરની વાંચા પાળો,
બો૯યા ઈમામશાહ અમરાપુર માલો. ૧00


નાની સરખી લાગતી આ સિક્ષા પત્રી સદગુરુ ઇમામશાહ મહારાજ ના હ્રદય કમલ મા થી  પરાવાણી માથિ પ્રગટ થયેલી આ વાણી ને ત્રણે કાણ  મા ભુતકાણ ,વર્તમાનકાણ અને ભવિષ્યકાણ મા આ સબ્દ સત્ય થઇ ને રહસે.સિક્ષા પત્રી આપ્ડૂ સત્પંથીઓ નુ બંધારણ છે . કેંદીય સરકાર નુ બંધારણ હોય, રાજ્ય નુ બંધારણ હોય, જિલા નુ બંધારણ હોય, તાલુકા નુ બંધારણ હોય, પંચાયત નુ બંધારણ હોય, કોય ટ્રસ્ટ હોય કે મંડલી હોય તેનૂ બંધારણ હોય ઐમ આ સત્પંથીઓ નુ બંધારણ છે .
       બધાજ સાસ્ત્રો નો આ સાર આ સો(૧૦૦) નિયમ ની સિક્ષા પત્રી સદગોર શ્રીઇમામશાહ મહારાજે આપને આપ્યો છે. આ પાયા નુ જ્ઞાન છે જેના ઉપર પૂરા વિશ્વ ના સાસ્ત્રો રચાયેલા છે. સિક્ષા પત્રી આપડી
આચાર સહિંતા છે. વ્યાહારિક જ્ઞાન બતાવ્યુ છે જીવન  જિવ્વાની કણા બતાવી છે.સિક્ષા પત્રી મા બતાવ્યુ છે કે હે મનુષ્ય તને તન અને મન ની તંદુરુસ્તી જોયતી હોય તો તૂ સિક્ષા પત્રી ના નિયમો નુ અનુસરણ કર.જેમ આપડી ગાડ઼ી હોય ઇ ગાડ઼ી ને  પણ સર્વિશિંગ માટે લઇ જાવી પડે. ત્યા મેકેનિક ઇ ગાડ઼ી નુ જે મેન્યુ હોય કે કઇ જાત નુ આયલ નખાય, કઇ જાત નુ ફિલ્ટર નખાય, ટાયર મા હવા કેતલી જોઇઐ, કઇ જાતનુ  સ્પેયર પાર્ટ્સ, બેરિંગ હોય ઐમ આ સત્પંથિયો માટે સિક્ષા પત્રી આ જીવન ની ગાડ઼ી નુ મેન્યુઅલ છે. ગાડ઼ી બગડે તો મેકેનિક મેન્યુ જોવે ઐમ આપડા જીવન ની ગાડ઼ી બગડે તો આ સિક્ષા પત્રી ને ખોલ્જો, અને આમા થી જીવન જિવ્વાની ટેકનિક મલસે    સિક્ષા પત્રી ને ડાઉનલોડ કરવા ક્લીક કરો       

3 comments: