facebook

Ved ane vedant વેદ અને વેદાંત



વેદ અને વેદાંત
પરમાત્માએ આ સૃષ્ટિ નુ સર્જન કર્યુ છે પણ કોઇ એમ ન કહે હૂઁ આ જાણુ છૂ .આ સત્પંથ ધર્મમા એવા કેલાય મહાપુરુષો થઇ ગયા. માનકુવા ગામમા વાલજી બાપા હતા એના બહેન અને બનેવી અંગિયા ગામમા રહેતા હતા. એમને જ્યારે જ્યારે એમના બહેન બનેવી જોડે સત્સંગ કરવો હોય ત્યારે તે ઘરના છજા ઉપર ઉભા રહી ને હાકલ કરે આવજો રુડ બાઈ, આવજો પટેલ આજે સત્સંગ કરવો છે. અને તે સન્દેસ છેક અન્ગીયા પહોચી જાય અને બહેન બનેવી રાત ના સત્સંગ કરી ને સવાર ના પાછા પહોચી જાય. બીજી વાત વીરાણી ગામની છે. જ્યારે ગામડ઼ે ગામડે શુદ્ધ ઘીની અખંડ

જ્યોતો જલતી હતી ત્યારે વીરાણી ગામમા તત્કાલીન જ્યોતિધામ મન્દિર(જગ્યા) મા તાળુ લગાવી દિધૂ હતુ. પણ એક વરસ પછિ જ્યારે એ જ્યોતિધામ મન્દિરને ખોલ્યુ ત્યારે પણ એ અખંડ જ્યોત જલતી હતી. આવા તો અનેક જાહેર પરચા છે . આપણો આ સતપન્થ ધર્મ મહાધર્મ છે. એમા ક્યાય ગ્લાની કરવાની જરુર નથી કારણ કે પરમાત્માએ ઇસારા તો બધા મુક્યા હોય આપણે પૂરા ન સમજાતા હોય કેમકે આપણી બુદ્ધિ ઓછૂ સમજી સકે પણ સતપન્થ ધર્મમા ક્યાય ગ્લાની નથી કેમ કે ઇમામશાહ મહારાજે આપને વેદ બતાવ્યો છે, અને વેદમા વેદાંત છૂપાયલો છે. વેદ છે એ કેરી (આમ્બો) છે અને વેદાન્ત છે એ કેરી નો કાઢેલો રશ છે. એમા પછી છોટલાએ બાદ થઇ ગયા અને ગોટલાઐ બાદ થઇ ગયા ઇમામશાહ મહારાજે આપણને વેદ અને વેદાંત બે મિશ્ર બતાવ્યુ છે. વેદ અને વેદાંત મિશ્ર એટલે શુ? બીજા મહાપુરુષો અને કથાકારો આપણને સિધી ભગવાનની પ્રાથના કરવાની કહે છે જ્યારે ઇમામશાહ મહારાજ કહેછે કે આપણુ અંતઃ કરણ છે એ કર્મ કાંડ વગર શુદ્ધ નહીં થાય અને એ અંતઃ કરણ ને શુદ્ધ કરાવા માટે કર્મ કાંડ ની જરૂર છે. આજ વાત આધ જગદગુરૂ શ્રી શંકરાચાર્યજી મહારાજે તેમની વિવેક ચુડામણી નામની પુસ્તકમા લખ્યુ છે. ઇમામશાહ મહારાજે કહ્યુ છે કે અંતઃ કરણની સુધી માટે સવાર - સાંજ પરમાત્માને અવસ્ય પ્રાથના કરવી જ જોઇએ અને આજ વાત ભક્તિ સાગરમા ચરણદાસજી મહારાજે પણ કહિ છે કે સુબહ ઔર શામ પરમાત્મા કી અવસ્ય પ્રાથના કરના હી ચાહીએ. પણ એ જો નહીં કરીએ તો આપણી ક્યાંક ભૂલ થસે અને કરંટ સીધો ઉપર નહીં પકડાય. આપણને વેદાંતમા જવુ હોય તો વેદ છે ઐ કર્મ કાંડ નુ બિજ છે.વેદમાં એકલાખ મંત્ર છે. ચાર વેદ વિશ(૨૦)કાંડમા વેરાએલા છે એમા (૮૦)એંશી હજાર મંત્રો ઓષધિયોંના છે દુનિયા મા જેટલી બીમારી છે ઐના સામે ભગવાને વનસ્પતિયો મુકી છે અને (૧૫)પંદર હજાર મત્ર કર્મ કાંડ અને ચિતની સુધી માટે ના છે અને (૫)પાંચ હજાર મંત્ર આત્મજ્ઞાન મેળવવાના છે એટલે ઇમામશાહ મહારાજે વેદ સાથે વેદાંત મુક્યુ છે. પણ આપણે એના ઉપર મંથન નથી કરતા એટલે બીજા કથાકારો આપણને સીધા પરમાત્મા થી મળવાની વાત કરે છે એ આપણને સારુ લાગે છે. એટલે આપણે ત્યા અટકી જઇએ છીએ. આ મહાધર્મ છે, આવા મહાધર્મમા મહાપુરુષો ધર્મનો બોર્ડ ચડ઼ાવતા હોય છે. પણ આખા વિશ્વ નો જે સંચાલન કરે છે જેને આખા વિશ્વ નો ઘાટ ઘડયો છે એ મહાપુરુષ છે અને એમા મહાનતા છુપાયલી છે. મહાનતા છે છતાય આપણને સાદા દેખાય છે. ઇમામશાહ મહારાજ ને એક પ્રેમજી નામ ના ખોજા એ ચાર લાકડ઼ીઓ મારી હતી છતાય એ ગરમ નોતા થયા આપણને કેટલુ સંબોધન કર્યુ હૈં, હે મારા વીરા ભાઈ, હે મારા મુનિવર ભાઈ રખે તમે બેઇમાની થાતા હો તમારા કારણે અમને ચિંતા ઉપની, તમારા કારણે અમને રાતે નિંદ્રા ન આવે મુખે ભોજનિયા ન ભાવે. હવે આ કલયુગ છેલી છંદ આવી રહી છે પ્રલય કાણ નુ સમય આવી રહ્યો છે ચોર્યાસી (૮૪) અવતાર ના હિસાબ દેવાનો સમય આવી રહ્યો છે. અને હજી તમે આવડા ગલફ઼ત મા કેમ સુતા છો કર્તાયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો, ત્રેતાયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો, દ્વાપરયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો અને આજ કલયુગ આવ્યો . જાગો જાગો વીરા કલયુગ આવ્યો તોય તમે જાગતા નથી. સેમા થી જાગવુ છે ? આપણે કોણ છીએ ,ક્યાથી આવ્યા છીએ અને શા માટે અહિયા આવ્યા છીએ આપને ઇમામશાહ મહારાજે (૧૦૦%) સો ટકા સહી સહી સત્ય રાહ બતાવ્યો છે. પણ જ્યા આપડુ મન જુઠાડુ થાસે, આપણે બીજાના કહ્યમા આવી જસુ, બીજો કોઇક જો આપને હાથ જાલી જસે તો આપણે ઘેટા બકરા મા ગણાસુ. જો આપણે ગેટા બકરા થઇશુ અને ચોક મા જઇને બેસીશુ તો શિયાળ ખેચી જશે. આપણે તો સિંહ છીએ પરંતુ આપણે કેવા થઇ ગયા છીએ કે મોઢૂ સિહ નુ અને ચાલ ઘેટા ની, આગળ થી સતપંથી છીએ અને પાછળ થી ઘેટા જેવા થઇ ગયા છીએ. જેને લિધે આપણામા કમજોરી આવી ગયી છે. ભલે ભક્તિ જે થાય તે પણ (૧૦૦%)સો ટકા મજબૂતી રાખવી જ પડસે મજબૂતી વિના આપણી જીત નથી. નારાયણ છે ત્યાં સત્ય છે .નારાયણ છે ત્યાં વેદ ની સતા છે એ સત્ય ના રાહ ઉપર જે ચાલે એ સતપંથી કહેવાય. કેમકે સત્ય ઐટલે સાચુ , પંથ એટલે રસ્તો ,પણ કયો રાસ્તો રિગ્હવેદ (રગુવેદ) ગયો, યજુરવેદ ગયો, શામ વેદ ગયો. ભગવાન વિશ્ણુના દશ અવતાર થયા મછા,કુર્મ,વરાહ, નરશિંહ, વામન,પરસુરામ ,રામ ,કૃષ્ણ અને બુધ અવતાર આ બધા ગયા પરંતૂ જે મચ્છા હતા એજ કુર્મ થયા, કુર્મ હતા એજ વરાહ થયા, જે રામ હતા એજ કૃષ્ણ થયા અને કૃષ્ણ એજ બુધ થયા . આપડ઼ે એક ઉદાહરન લઇઐ પ્રહલાદે ભગવાન નરશીહ ની ઉપાસના કરી પણ આગણ ના (૩)ત્રણ અવતાર ની નોતી કરી. ભગવાન નરશીહ ની ઉપાસના કરી તો ભગવાન થામ્ભલા માથી પ્રગટ થઇ ને એનો ઉધાર કર્યો. પછિ હરિશચંદ્ર રાજા, તો હરિશચંદ્ર રાજા એ કોની ઉપાસના કરી રામ ની કે નરશિહ ની ? રામની કરી કેમકે સત્તા રામ ની ચાલતી હતી તો રામે આવી ને તલવાર પકડી નરશિહ ભગવાન ન આવ્યા. પછિ પાંચ પાંડવ આવ્યા તો પાંડવોએ કૃષ્ણ ની ઉપાસના કરી કે રામ ની કરી ? કૃષ્ણ ની કરી રામ ની ન કરી કેમ કે સત્તા કૃષ્ણ ની ચાલતી હતી એને ખબર હતી કે નરશિહ અને રામ આગળ થઇ ગયા તો જેનો સમય જેની સત્તા હોય એનાથી જ આપણને પરિણામ મળસે. કેમ કે પરમાત્મા એક જ છે ડુપ્લીકેટ નથી. ડુપ્લીકેટ હોય તો આપણે છેતરાઇએ આપણા વેદમાં લખ્યુ છે કે ભગવાન ના અવતાર દસ(૧૦) પણ ભગવાન એક. નારાયણે રૂપ ધર્યા દસ પણ પરમાત્મા એક જ છે. કેમ કે જ્યારે જ્યારે ધર્મ ની હાની થઇ. જ્યારે જ્યારે મનુષ્ય ધર્મ થી ચલિત થાયા અધર્મ ની વૃદ્ધિ થાઇ, સત્ય ઉપર વજન આવે, અસત્ય દબાવે, અધર્મ બાહાર આવે ત્યારે-ત્યારે ભગવાન ને પ્રગટ થવુ પડે છે શ્રી મદભાગવત ના બારમા અધ્યાય મા બતાવ્યુ છે પુરુષો એની મર્યાદા છોડસે દિકરિયો સ્ત્રિયો ઐની મર્યાદા છોડસે ચરિત્રહીન બનસે ત્યારે ભગવાન કલ્કિ પ્રગટ થશે અને સજન માણસો આ દેશ મા નહીં રહી શકે. આ દેશ ને કોઇ ચરિત્ર ની દૃષ્ટીએ નહીં જૂએ. એટલૂ ચારીત્રહીંન આ દેશ બનસે. મહાભારત મા જયમુનિ એ બતાવ્યુ હે જ્ઞાનપર્વ મા કે પુરુષો ઉભે ઉભે પેશાપ કરસે, જોડા પહરી ને ઉભે ઉભે જમસે સ્ત્રિયો રજસ્વણા નુ ધર્મ નહીં પાળે ત્યારે આ યુગ ની અન્દર કલયુગ નો પ્રસાર વધસે અને ધર્મ નો નાસ થસે. તો અત્યારે આપણે એ દિશા તરફ જઇ રહ્યા છીએ. આવુ આજ થી પાંચ હજ્જાર વર્સ પૂર્વ ઋષિ મુનિયો કહી ગયા છે. આપણે આપ્ણી સુવીધામાં વધારો કર્યો છે અને નિયમ પાળવા મા આપણે કાચા પડીએ છિએ જેને કારણે આપણુ મન કમજોર થાય છે અને ધર્મ ના માર્ગ માંથી ચલિત થાય છે. ધર્મ મોળુ નથી મન મોળુ થઇ ગયૂ છે. આ જ મહાધર્મ ની પૂજા મા પહેલા ખુણે ખુણે અખંડ જ્યોત જાલતી હતી. જેમ વ્યવ્હાર નો કાયદોં છે સમાજના પણ કાયદા છે, સરકારના કાયદા છે એ બધા પાળવા પડે છે એમ આ ધર્મના કાયદા પાળવામાં જો આપણે ઢીલા પડસુ તો પરમાત્મા થી આપણે દૂર થઇ જસુ. આપણે સમજી શકીયે છીએ કે આજ નો યાંત્રિક યુગ છે અને યાંત્રિક યુગ મા પ્રજા ભણેલી-ગણેલી છે પણ જો ધર્મ માં બહૂ બાંધ-છોડ કરશું તો ધર્મ રહસે નહીં. કેમ કે આ કાયદો આપણા હાથ મા નથી. ધર્મના નિતી નિયમ આપણા બનાવેલા નથી. સમાજના બનાવેલા નિયમો સમાજ સુધારે, રાજ ના બનાવેલા નિયમ રાજ સુધારે. આ પુસ્તિકાઓમાં ભગવાને જે લેખ લખ્યો હસે ઐ આપણા પાસે નથી. પણ મારા હાથ મા આવ્યો તો મેં લખ્યો, તમારા હાથ મા આવ્યો તો તમે લખ્યો એમ પ્રતવાર ફેરફાર આજે થતો આવે છે અને પેહલા પણ થયો હસે એ આપણે માનીએ છિએ. પણ આપ્ણા ધર્મના નિયમ પરમાત્મા ના બનાવેલા છે. એમા બાંધ છોડ કરવાનો અધિકાર આપણો નથી. કેમ કે છેલ્લે આપણને એમની પાસેજ જઉ છે એટલા માટે ધર્મ પાળવામાં વધારે બાઁધ છોડ ન કરાય ધર્મ છે વેદ ના આધારે અને વેદ ના આધારે વેદાંત બતાવ્યો છે વેદાંત ઐટલે વેદ નો અંત વેદ ના ઉપર નો ભાગ જ્યા એકલો રસ છે. જ્યા માણશ પરમાત્મા સાથે એકરૂપ બની જાયછે, તન્મયબની જાય છે એને વેદાંત કહ્યુ છે.

3 comments:

  1. Anonymous10:10

    u r doing god job.
    i realy thanx to u .

    ReplyDelete
  2. Anonymous19:53

    Thanks. you are doing good job to bring truth to our people.

    ReplyDelete
  3. I am very happy to see this site

    Balvant

    ReplyDelete