facebook

Charnamrit


(૬)ચરણામૃત :-
સતપંથધર્મમાં ચરણામૃત બનાવવામાટે સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજની સમાધી તથા તેમના ચરણ પાદુકાની ચંદનવિધી કરી જળ અને માટિ થી ગોળી બનાવવામાં આવે છે. તે દિવસ તમામ સતપંથીઓ માટે બહુ અગત્યનો મનાય છે આ દિવસે પીરાણાધામ સતપંથીધર્મ પ્રેમીઓ થી ઊભરાય જાય છે.
જયારે ઘટપાટ પૂજાવિધી થાય છે ત્યારે પૂજામાં બ્રહ્મ સ્વરૂપે અક્ષતને પાણીમાં તરાવામાં આવે છે પછી શ્રી હરિ વિષ્ણુનું કળશમાં આહવાન કરવામાં આવે છે ત્યારે એ માટીની ગોળીને કપડામાં દબાવી ભગવાનના નવ અવતારનું આહવાન કરવામા આવે છે અને જયારે ૧૦મા અવતારનું નામ આવે ત્યારે એ ગોળીને કળશમાં પધરાવવામાં આવે છે.હવે ગોળીને કપડામાં દબાવવામા આવે છે એનું કારણ એ છે કે આપણે જેમ કોઇ પણ મંદિરમાં મૂર્તિ સ્થાપના કરવી હોય તો એને કપડાથી ઢાકવામાં આવે છે અને એની પ્રાણપ્રિતષ્ઠા કરીને દર્શન માટે ખુલી મુકવામાં આવે છે તેમ ચરણામૃત બનાવતા સમયે ગોળીને કપડામાં ઢાકવામાં આવે છે અને જયારે દશમા અવતારનું નામ લેવામાં આવે ત્યારે એને ખુ૯લી કરીને કળશમાં પધરાવાય છે, આ ચરણામૃતને પાવળ જળ કહેવાય છે અને આ પાવળમાં ભગવાનનાં દશમાં અવતારનો વાશ હોય છે. થોડા સતપંથ વિરોધી લોકો સતપંથ ના ખિલાફ દુષ્પ્રચાર કરવા એમ કે છે કે એ ગોળી માંસ અને માટી થી બનાવા માં આવે છે આ એકદમ ખોટી વાત છે કારણ કે(૧) શ્રી ઈમામશાહ મહારાજે સતપંથીઓ ને ૧૨ વસ્તુ (જેમ કે ડુંગળી, લસણ,હિંગ તંબાકુ , ગાંજો,માંસ- મદિરા તાંડી વગેરે )લેવાની ના કહી છે (૨)બીજી વાત જો માંસની ગોળી હોય તો એ પાણી માં ગળે(ઓગળે ) નહિ (૩)ત્રીજી વાત જો ગોળી માંસની બનેલી હોય તો એમાથી વાસ આવે (૪) સતપંથ ના વિરોધી જાણે છે કે સતપંથ ધર્મ સુદ્ધ અને સાત્વિક છે એટલે એ લોકો ને ભરમાવવા માટે આવી ખોટી અફવાઓ ફેલાવે છે હું જાહેર ચેલેન્જ આપુ છુ કે: કોઇ પણ માણસ એ પ્રુફ કરિ આપે કે આ ગોળી માંસ માંથી બનાવેલ છે તો અમે પ્રેરણાપીઠ બંધ કરી દઇશું નહિતો જે તે ભાઇ સતપંથ ધર્મ અંગીકાર કરે અને પોતે કરેલી ભુલોનો પ્રયાસ્ચીત કરે.

6 comments:

  1. dinesh13:52

    mane pirana ek vaar aavi ne juvu chhe pirana pohachva ni jankari blog uper aapva ni kripa karo

    ReplyDelete
  2. Sanjay Patel17:04

    aapana hindu santo sa mate imam shah bava ne manyata nathi aapata. hal na pirana satpanth ni khabar nathi pan aaj thi 50 varsh pahela satpanthi nikah padhata hata a satya chhe. aapana dharm ma to imam shah karata pan mahan maha purusho thaya chhe ane haji pan pruthvi upar chhe.

    ReplyDelete
  3. dipak pitroda22:56

    સંજય ભાઈ તમારી જાણકારી માટે કહું કે ઈમામશાહ મહારાજ કલયુગ ના બ્રહ્મા છે અને સ્વામીનારાયણ સંપ્રદાય પણ આ વાત ને મને છે જુવો લીંક http://satpanthsanatan.blogspot.com/2010/01/blog-post_2881.html બીજી વાત રામદેવ પીર જેસલ તોરલ જેવા ૪૦ સંતો હતા જેને ઈમામશાહ બાવા ની વાત નું સમર્થન કર્યું છે બહુ જલ્દી એને પોસ્ટ કરશું અને સતપંથ માં મુખી વિવાહ કરાવતા હતા આપડા વર્તમાન સમાજ પ્રમુખ થી પેહલા ના પ્રમુખ એક વખત લગ્ન માં ગયા હતા જ્યાં મુખી વિવાહ કરાવતા હતા અને વિવાહ ના પશ્ચાત સમાજ પ્રમુકે કહ્યું હતું કે મારી સતપંથ વિરુધ જે વિચાર હતો એ એકદમ ગલત હતો ખરેખર મુખી જે વિવાહ કરાવે છે તેમાં ૩૩ કરોડ દેવી દેવતા અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વેર નું આહ્વાન કરી અને વેદ આધારિત વિવાહ થાય છે .

    ReplyDelete
  4. Anonymous09:55

    deepakbhai, thanks for your information. I agree with you as I have also heared same thing from others.

    ReplyDelete
  5. Sanjaybhai,

    Janya pankhya vagar statment apvu bahu murkhami bharyu kahvay evu to tamne tamara vadava o e sikhvadyu hasej. have rahi vaat Shree Imamshah Maharaj na approval ni to tamari jan khatar kahi dahu ke hamanj Khedoi Madir ni Pran Pratishtha hari jema "Ramanujacharya shre Hansdevacharya Swami Pithathiswar NAganath dham Trust Haridwar" wala avya hata ane Pirana ne Jagadguruni Peeth 3000 Sadhu Santo ni vachhe malel chhe e tamne khabar j hase.

    ReplyDelete
  6. priya satpanthio aapane je charnamut vishe lakhel chhe jema tame mas ni goli aam lakhuyu chhe te n lakhay aavi rite tame satpanth ne nicho pado chho aa ek sanatan satya chhe ena mate koy ne chelenj na kray web upar aavu kyarey lakhavani jarur nathi web upar mukta pahela tene vicharo aato world wide thay chhe pachhi muko

    ReplyDelete